નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન આગળ વધારવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપતા કહ્યું કે દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સંક્રમણ દર ઓછો થયો છે. પરંતુ જૂની મહેનત બેકાર ન જાય તે માટે 18 એપ્રિલથી દિલ્હીમાં લાગૂ લોકડાઉન જે આવતી કાલે ખતમ થવાનું હતું તેને એક અઠવાડિયા માટે એટલે કે 31 મે સુધી આગળ વધારવામાં આવ્યું છે.
પાંચમી વાર વધ્યું લોકડાઉન
દિલ્હીમાં પાંચમીવાર લોકડાઉન આગળ વધારવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હાલાતમાં સુધારા છતાં હજુ પણ રોજ એક હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આથી દિલ્હી સરકારે આ લોકડાઉનને 31મી મેની સવારે 5 વાગ્યા સુધી આગળ વધારવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં 19 એપ્રિલથી લોકડાઉન લાગૂ કરાયું હતું. તેને પાંચમીવાર આગળ વધારવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેન સેવાઓના સસ્પેન્શન સહિત લોકડાઉનના તમામ પ્રતિબંધ લાગૂ રહેશે.
જાણો: કામરેજના 5મુ પાસ ભાજપ MLA ઝાલાવાડિયાની હરકત
31મી મેથી અનલોકની પ્રક્રિયા શરૂ!